Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

નરેન્‍દ્રભાઇનું આટકોટમાં આગમનનું રીહર્સલ : હેલીકોપ્‍ટરનુ આગમન

આટકોટઃ આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્‍પિટલનું શનિવારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે લોકાર્પણ થવાનું છે એ પહેલા આટકોટ-જસદણ રોડ ઉપર બનાવવામાં આવેલા ત્રણ હેલીપેડ ઉપર આજથીજ રીહર્સલ શરૂ થઇ ગયું છે અને ભારતીય વાયુદળના હેલીકોપ્‍ટરો દ્વારા ત્રણેય હેલીપેડ ઉપર હેલીકોપ્‍ટર ઉતારી સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આજે સવારે અને બપોર હેલીકોપ્‍ટરો હેલીપેડ ઉપર ઉતારવામાં આવ્‍યા હતા જેમાં આવેલા સુરક્ષા અધિકારીઓ દ્વારા હેલીપેડની જવાબદારી સંભાળતા ઉચ્‍ચ અધિકારીઓને જરૂરી સુચના આપી હતી બીજી તસ્‍વીરમાં હેલીકોપ્‍ટર જોવા ઉમટી પડેલ માનવ મેદનીની છે.ે(તસ્‍વીર અહેવાલઃ વિજય વસાણી આટકોટ)

(3:50 pm IST)