Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

સંસ્કૃત અભ્યાસ સમિતિના ચેરમેનપદે પ્રો.જોશી અધરમેન ચેરમેન પદે પ્રો. શ્રીમાળીની વરણી

રાજકોટ, તા. ર૬ :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિષયોની સમિતિની રચના થઇ રહી છે. તેમાં સંસ્કૃત અભ્યાસ સમિતિની રચનામાં પ્રો. જોશી અને પ્રો. શ્રીમાળીની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત વિષયની અભ્યાસક્રમ સમિતિના ચેરમેન પદે એમ.બી. કોલેજ ગોંડલના ડો. નવીનીતભાઇ જોશી તેમજ અધરધેન ચેરમેન તરીકે શ્રીમતી આર. આર. પટેલ મહિલા કોલેજ ટોપલેન્ડ વિદ્યાભવન રાજકોટના  ડો. ટી.એલ. શ્રીમાળીની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. સંસ્કૃત અભ્યાસક્રમ સમિતિના તમામ સભ્યો અને ઉચ્ચ અધિકારીઓે પ્રો. જોશી અને ઉચ્ચ અધિકારીઓએ પ્રા. જોશી અને પ્રો. શ્રીમાળીને અભિનંદન પાઠવ્યા છે.

(4:00 pm IST)