Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ન્યુ સાગર સોસાયટીમાં વૃધ્ધા મંજુલાબેન મારૂએ એસિડ પી જિંદગી ટૂંકાવી લીધી

રાજકોટ તા. ૨૫: કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટી-૮માં રહેતાં મંજુલાબેન મનસુખભાઇ મારૂ (ઉ.વ.૭૬) નામના વૃધ્ધાએ બપોરે ઘરે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગર પોલીસ મથકના આસી સબ. ઇન્સ. ભરતસિંહ સોલંકી અને પ્રવિણભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ બિમારીથી કંટાળી જઇ તેમણે આ પગલુ ભર્યુ હતું. મંજુલાબેનને પીઠમાં દુઃખાવા સહિતની સમસ્યા હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:56 pm IST)