Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

શ્રી સારસ્‍વત બ્રાહ્મણ જ્ઞાતિ મહાસ્‍થાન દ્વારા કાલે સરસ્‍વતી સન્‍માન- વિદ્યાર્થી પારીતોષીક કાર્યક્રમ

૧૭૦ છાત્રોને શિલ્‍ડ, પ્રમાણપત્ર, ભેટ અપાશે

રાજકોટઃ શ્રી સારસ્‍વત બ્રાહ્મણ જ્ઞાતિ મહાસ્‍થાન રાજકોટ દ્વારા આવતીકાલે તા.૨૫ના રવિવારે સાંજે ૫ થી ૯ દરમ્‍યાન મોઢ વણિક જ્ઞાતિની વાડી (માલવીયા પેટ્રોલ પંપની સામેની શેરી, ક્ષત્રિય બોર્ડીંગની બાજુમાં) ખાતે વિદ્યાર્થી સન્‍માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં એલકેજી થી કોલેજ સુધીના ૧૭૦ વિદ્યાર્થીઓને શિલ્‍ડ, પ્રશસ્‍તીપત્ર, ભેટ આપવામાં આવશે. પૂ.ભકિત સ્‍વામી અને ભાગવત કથાકાર જગદીશભાઈ કનૈયાના હસ્‍તે કાર્યક્રમનું દીપપ્રાગટય કરવામાં આવશે.આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ નીતિનભાઈ સાતા, ઉપપ્રમુખ અલ્‍પેશભાઈ લ્‍હેરૂ, મંત્રી પ્રશાંતભાઈ ચંદા, નીખિલભાઈ કનૈયા, યોગેન્‍દ્રભાઈ લહેરૂ, કેતનભાઈ, કિરીટભાઈ, દિલીપભાઈ જોશી, સમીરભાઈ કનૈયા, નિヘય કનૈયા વિ.જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો.૯૭૨૩૩ ૫૩૦૦૪ ઉપર સંપર્ક કરવો.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:13 pm IST)