Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સોમવારે રાજકોટ જિલ્લા પંચાયતમાં વધુ એક લોકદરબારઃ પ્રશ્નો મોકલો

અગાઉના બે લોકદરબારમાં માત્ર ૭ પ્રશ્નો આવેલા

રાજકોટ,તા.૨૫: જિલ્લા પંચાયતના પ્રમુખ  ભૂપતભાઈ બોદર, ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઈ વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, શાસક ભાજપના પક્ષના નેતા વિરલ પનારા, દંડક અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા તથા સમિતિના ચેરમેન તથા સદસ્યો દ્વારા તા.૨૭ સોમવારે સવારે ૧૧ થી ૧૨ રાજકોટ જિલ્લા પંચાયત ખાતે રાજકોટ જિલ્લાના સરપંચ, આગેવાનો તથા ગ્રામજનો પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી શકે તે માટે લોક દરબાર યોજવામાં આવશે.

લોક દરબારમાં રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ દ્વારા ગ્રામજનોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો સાંભળવામાં આવશે અને આ પ્રશ્નોનો ત્વરિત નિકાલ થયા તે માટે સંબંધિત તંત્રને ત્વરિત કામગીરી કરવાની સુચના આપવામાં આવશે. લોકો પ્રશ્નો રજુ કરી શકે છે. તેમ ભુપત બોદર જણાવે છે.

(1:34 pm IST)