Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રમેશભાઇ ઠકકરના જન્‍મદિન નિમિતે પ્રેરક કાર્ય : એક મહીનો રકતદાન કેમ્‍પ

રાજકોટ તા. ૨૫ : ગૌ પ્રેમી રમેશભાઇ ઠકકરના જન્‍મ દિવસ આગામી તા. ૧ જુનના છે. આ નિમિતે એક મહીના સુધી રકતદાન કેમ્‍પ યોજી ૧૧૦૦ થી વધુ યુનિટ રકત એકત્ર કરવાનો પ્રેરક નિર્ણય લેવાયો છે.

એન્‍જલ પમ્‍પવાળા કિરીટભાઇ આદ્રોજા દ્વારા યોજાયેલ રકતદાન કેમ્‍પમાં ૧૦૧ યુવનોએ રકતદાન કરેલ. આ કેમ્‍પનુ઼ ઉદ્દઘાટન એન્‍જલ પમ્‍પના મોભી શિવલાલભાઇ આદ્રોજા અને રમેશભાઇ ઠકકરના હસ્‍તે કરાયુ હતુ. આ પ્રસંગે અશ્વિનભાઇ આદ્રોજા, જીજ્ઞેશભાઇ આદ્રોજા, ધ્રુવ આદ્રોજા, યુવા અગ્રણી મુકેશ દોશી, વિજય ડોબરીયા, ધીરૂભાઇ કાનાબાર, મિતલ ખેતાણી, ડો. મયંક ઠકકર, યુવા ઉદ્યોગપતિ રાજુભાઇ કાલરીયા, વાંકાનેર સ્‍થિત ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઇ પટેલ, સુનિલ વોરા, પ્રવિણ હાપલીયા, મેટોડા જીઆઇડીસીના પ્રમુખ નરેન્‍દ્રસિંહ જાડેજા, જાણીતા ઇન્‍ટીરીયર ડીઝાઇનર હરેશ પરસાણા, ચેમ્‍બર ઓફ કોમર્સના ડાયરેકટર પાર્થ ગણાત્રા, ગૌરાંગ ઠકકર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

રકતદાન કેમ્‍પમાં પ્રત્‍યેક રકતદાતાને એન્‍જલ ગ્રુપ દ્વારા સ્‍મૃતિપત્ર અને આકર્ષક ભેટ આપવામાં આવેલ. એકત્ર થયેલ રકત સીવીલ હોસ્‍પિટલને અર્પણ કરાયુ હતુ. સમગ્ર રકતદાન કેમ્‍પની વ્‍યવસ્‍થા કિરીટભાઇ આદ્રોજાના નેતૃત્‍વ હેઠળ એન્‍જલ ગ્રુપના લાલજીભાઇ રાઠોડે સંભાળી હતી.

(4:13 pm IST)