Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

વિનાયકનગરમાં વિનુભાઇ રાઠોડે ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો

આહિર પ્રોૈઢ માનસિક બિમારીથી પીડાતા હોવાનું સ્વજનોનું કથન

રાજકોટ તા. ૨૫: મવડી પ્લોટ નવલનગર પાસે વિનાયકનગર-૮માં યાદવ પાનવાળી શેરીમાં રહેતાં વિનુભાઇ ભવાનભાઇ રાઠોડ (આહિર) (ઉ.વ.૫૩) નામના પ્રોૈઢે વહેલી સવારે ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને જયમીનભાઇ પટેલે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર વિનુભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં પાંચમા હતાં. તેઓ હાલમાં નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. વિનુભાઇને કેટલાક સમયથી માનસિક બિમારી હોઇ તેની દવા પણ ચાલુ હતી. કંટાળીને તેમણે આ પગલુ ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

(11:41 am IST)