Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

વેલનાથપરા વિસ્તારમાં રસ્તા ન થતા લોકોએ કામગીરી શરૂ કરી નવતર વિરોધ નોંધાવ્યો

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૪ માં મોરબી રોડ પરનાં વેલનાથપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લતાવાસીઓ દ્વારા રસ્તા બાબતે અનેક વખત રજૂઆત કરવા છતા પરિસ્થિતિ જૈસે થે  જોવા મળી રહી હતી. ત્યારે આજે વિસ્તારવાસીઓ દ્વારા જાતે પાવડો, તગાડુ લઇ કામગીરી શરૂ કરી તંત્ર સામે નવતર વિરોધ નોંધાવ્યો હતો. તસ્વીરમાં વિસ્તારવાસીઓ દ્વારા રસ્તા કામગીરી કરવામાં આવી રહી છે. તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:42 pm IST)