Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

IMA ફેસબુક લાઈવમાં ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.તુષાર પટેલ અને ડો.અમિત પટેલનો વાર્તાલાપ

રાજકોટ, તા. ૨૪ : હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ઈન્ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટ દ્વારા કોરોના સંબંધિત સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને કોરોના સંબંધિત ઉપયોગી માહિતી લોકોને મળે તે માટે રાજકોટ આઈએમએ દ્વારા ફેસબુક ઉપર લાઈવ માર્ગદર્શન તજજ્ઞ નિષ્ણાંત તબીબો માર્ગદર્શન આપે છે.

આજે તા. ૨૪ના ગુરૂવાર રાત્રે ૧૦ કલાકે ક્રીટીકલ કેર એસોસીએશનના પ્રેસીડેન્ટ ડો. તુષાર પટેલ અને સેક્રેટરી ડો. અમિત પટેલ લોકોના પ્રશ્નોના નિવારણ માટે માર્ગદર્શન આપશે. ડો. તુષાર પટેલ અને ડો. અમિત પટેલ ક્રિટીકલ કેર નિષ્ણાંત છે. કોરોનાની સારવાર કરી સંખ્યાબંધ દર્દીઓને સાજા કર્યા છે.

(4:22 pm IST)