Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જનહિતલક્ષી અને યોગ્‍ય નિરાકરણ લાવવાની ખાતરી આપીને હડતાલ પાછી ખેંચી લેવા તબીબોને નિમિષાબેન સુથારનો અનુરોધ

જુનિયર તબીબોની રજુઆતો સંદર્ભે રાજ્‍ય આરોગ્‍યમંત્રીની ગાંધીનગર અને ગોધરા ખાતે એમના પ્રતિનિધિઓ સાથે બેઠક

 રાજકોટ,તા.૨૪ : રાજ્‍યના જુનિયર તબીબો દ્વારા તેમના પ્રશ્‍નો સંદર્ભે હાલ જે હડતાલ ચાલી રહી છે તે સંદર્ભે આરોગ્‍ય રાજયમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે આજે ગાંધીનગર અને ગોધરા ખાતે એમના  પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

 આ બેઠકમાં તેમણે જુનિયર ડોક્‍ટર એસોસિએશનના પ્રતિનિધિઓના વિવિધ પ્રશ્‍નો અને રજુઆતો સાંભળી હતી તેમજ સૌને માનવસેવાના આ મહાયજ્ઞમાં જોડાઈ જવા અનુરોધ કર્યો હતો.   મંત્રીએ  મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલના સબળ નેતળત્‍વ અને આરોગ્‍ય મંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ તમામ પ્રશ્‍નોના ત્‍વરિત,જનહિતલક્ષી અને યોગ્‍ય નિરાકરણ લાવવાની ખાતરી આપીને હડતાળ પાછી ખેંચી લેવા અનુરોધ કર્યો હતો.

(3:40 pm IST)