Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

આંબેડકરનગરની પાયલ દવેરાને નાના ઉંબાળામાં પતિ, સાસરિયાનો ત્રાસ

પતિ પરેશ, સાસુ ગીતાબેન, સસરા ખોડાભાઇ, દીયર રોહીત, નણંદ નમ્રતા, નણદોયા અશ્વીન અને કૌટુંબીક જેઠ બકુલ સામે ફરીયાદ

રાજકોટ તા.ર૪ : ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને ઘરની નાની-નાની બાબતે મેણાટોણા મારી મારકુટ કરી ગોંડલના નાના ઉબાળામાં રહેતા પતિ, સાસુ, સસરા, દિયર, નણંદ, નણદોયા અને કૌટુંબીક જેઠ ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આંબેડકરનગર શેરી નં.૧૪માં માવતર સાથે રહેતી પાયલ પરેશભાઇ દવેરા (ઉ.ર૩) એ મહિલા પોલીસ મથકમાં ગંડલના નાના ઉંબાળા ગામમાં રહેતા પતિ પરેશ દવેરા, સસરા ખોડાભાઇ આલાભાઇ દવેરા, સાસુ ગીતાબેન ખોડાભાઇ દવેરા, દિયર રોહીત દવેરા, નણંદ નમ્રતા મકવાણા, નણદોયા અશ્વીન પ્રવિણભાઇ મકવાણા અને કંટોલીયા ગામના કૌટુંબીક જેઠ બકુલ રાજાભાઇ દવેરા સામે ફરીયાદ નોંધાવી છે. પાયલે ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતાના પાંચ વર્ષ પહેલા ગોંડલના નાના ઉંબાળા ગામના પરેશ ખોડાભાઇ દવેરા સાથે લગ્ન થયા હતા. લગ્નના ચાર વર્ષ બાદ પોતે પતિ સાથે રાજકોટ આંબેડકરનગર શેરી નં.૧૧માં રહેવા આવ્‍યા હતા રાજકોટ આવ્‍યા બાદ સાસુ, સસરા પોતાને ગામડે મુકી જવા બાબતે પતિને અવાર-નવાર કહેતા પતિ પોતાને નાના ઉંબાળા ગામે મુકી જતો હતો ત્‍યારે સાસુ, સસરા અને દીયર સહિતના સાસરીયાઓ ઘરકામ બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતા હતા પોતાને દીકરીનો જન્‍મ થતા સાસુને સારૂ ન લાગતા અવાર-નવાર મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. અને કૌટુંબીક જેઠ પણ સાસુ, સસરાને ચઢામણી કરતા હતા ગત તા.૩/૪/ના રોજ પોતે પતિ, સાસુ, સસરા, સાથે નિકાવા સુરાપુરા દાદાને પગે લાગવા માટે ગયા હતા ત્‍યારે ત્‍યાં પણ દીયરે પોતાની સાથે ઝઘડો કરી મારમારી સાસરીયાઓએ પોતાને પહેરેલ કપડે કાઢી મુકતા પોતે માવતરે આવ્‍યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી આ અંગે હેડ કોન્‍સ જી. એન. પરમારે તપાસ હાથ ધરી હતી.

(12:07 pm IST)