Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ૧૬મો જાગૃતિ કાર્યક્રમ

અંગદાન, ચક્ષુદાન, દેહદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. તે અંતર્ગત સંકલ્પ સિધ્ધ હનુમાનજી, કાલાવડ રોડ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જૈન સમાજના અગ્રણી સેવાભાવી સુશીલભાઇ ગોડા, જૈન સાહિત્યકાર મનોજભાઇ ડેલીવાળાએ ઉપસ્થિત રહી સંસ્થાની પ્રવૃત્તિની સરાહના કરી હતી અને પ્રચાર પ્રસારમાં જોડાયા હતા. તેમ સંસ્થાના ચેરમેન ઉમેશભાઇ મહેતા (મો.૯૪૨૮૫ ૦૬૦૧૧) ની યાદીમાં જણાવાયુ છે.

(3:07 pm IST)