Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

શાપર વેરાવળની પરણીતાને આપઘાત કરવા મજબુર કરવા તથા એટ્રોસીટીના ગુનામાં પરણીતાના પતિના રેગ્યુલર જામીન મંજુર

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ, તા.૨૩: શાપર વેરાવળમાં રહેતા બિપિન રતનસિંહ ચંદ્રવંશીએ શાપરમાં રહેતી કાજલ સાથે પ્રેમલગ્ન કરી પોતાના માતા પિતા સાથે શાપરમાં જ રહેતા હોય તા.૨૦-૭-૨૦ના રોજ બિપિનના પત્નિએ કોઇ અગમ્ય કારણોસર ગળોફાંશો ખાઇને આપઘાત કરી લેતા ગુજરનારના ભાઇ દ્વારા શાપર વેરાવળ પો.સ્ટે.માં તેની બહેનને તેના સાસુ તથા પતિ હલ્કી જાતિની છો તેવા મેણાં ટોણાં મારતા હોયને આ લોકોના ત્રાસને લીધે તેની બહેન એ આપઘાત કરી લીધેલ છે તેવી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા શાપર પોલીસએ આઇ.પી.સી.કલમ ૩૦૬,૧૧૪ તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી નામદાર સેશન્સ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ હતા.

ત્યારબાદ આરોપી બિપિનએ જેલમાંથી તેમના વકીલ વિજયરાજસિંહ જાડેજા મારફત રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી બચાવપક્ષના વકીલ દ્વારા આરોપીએ કોઇ દુઃખ ત્રાસ આપેલ નથી તેમજ ગુજરનાર પાસેથી જે સ્યુસાઇડ નોટ કબ્જે કરેલ છે તેમાં પણ હાલના આરોપીનો કોઇ ઉલ્લેખ નથી તેમજ તપાસ પૂર્ણ થઇ ગયેલ છે તેમજ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા નામદાર સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના વકીલની દલીલ ગ્રાહ્યા રાખી રૂ.૧૫૦૦૦ના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીના વકીલ તરીકે વિજયરાજસિંહ સુધીરસિંહ જાડેજા રોકાયેલ હતા.

(1:02 pm IST)