Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મારામારીના ગુનામાં સામેલ મયુરસિંહ પરમારને પાસા

માલવીયાનગર પોલીસે વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ હવાલે કરાયો

રાજકોટ,તા. ૨૩: શહેરના માલવીયા નગર વિસ્તારમાં મારામારીના બે ગુનામાં સામેલ શખ્સને પાસા હેઠળ ધકેલી દીધો છે.મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બે અલગ અલગ મારામારીમાં સામેલ મયુરસિંહ અમરસિંહ ઉર્ફે મહિપતસિંહ પરમાર (ઉવ.૨૨) (રહે અલ્કા સોસાયટી મેઇન રોડ શ્રીનાથજી પાઉભાજી સામે ભાડે મુળ ગૌતમગઢ તા. મૂળી) ને પાસાામં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ આર.વાય. રાવલ, એ.એસ.આઇ શૈલેષભાઇ, હેડ કોન્સ. રાજુભાઇ ઇન્દુભા, રાહુલગીરી તથા મનીષાબેન સહિતે દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા માલવીયા નગરના પીઆઇ કે. એન.ભુકણ તથા પી.એસ.આઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. અરૂણભાઇ મયુરભાઇ, મશરીભાઇ, ભાવેશભાઇ, હરપાલસિંહ અને કુલદીપસિંહ સહિતે મયુરસિંહ પરમારની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. 

(3:57 pm IST)