Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રૂ. પાંચ લાખના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

આરોપી ૩૦ દિવસમાં રકમ ન ચુકવે તો વધુ ૬ માસની સજા

રાજકોટ તા. ર૩: રૂ. પ-લાખના ચેક રિટર્ન કેસમાં ધ્રોલના આરોપીને એક વર્ષની સજાનો આદેશ કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કાલાવડ રોડ, આંગન ગ્રીનસીટીમાં રહેતા રીતેષભાઇ ભરતભાઇ પાંભરએ ઓળખાણનો સબંધ ધરાવતા શાંતીલાલ મોહનભાઇ ભેંસદડીયા રહેઃ ફલેટ નં. ૧૦૧, વાસ્તુ રેસીડેન્સી, વૃંદાવન સોસાયટી, એસ.ટી. ડેપોની સામે, ધ્રોલ જી. જામનગર વાળાને ઉછીના પેટે રોકડ રૂ. પ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરા, મદદ માટે આપેલા હતા જે રકમ પરત આપવા બાબતે શાંતીલાલે તેમના ખાતા વાળી બેંકનો ચેક આપેલો હતો. જે ચેક રિટર્ન થતા ફરીયાદીએ તેમના વકીલ મારફત લોધીકાની સીવીલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી.

આ કેસ ચાલી જતા લોધીકા સીવીલ કોર્ટના જજ શ્રી ડી. સી. રાવલે આરોપી શાંતીલાલ મોહનલાલ ભેંસદડીયા ને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે. જેમાં આરોપી શાંતીલાલ મોહનભાઇ ભેંસદડીયાને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા તેઢમજ ચેક મુજબની રકમ ત્રીસ દિવસમાં ફરીયાદીને ચુકવી આપવી અને જો ત્રીસ દિવસમાં રકમ ન ચુકવે તો વધુ ૬ (છ) મહિનાની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલા હતા. 

(3:52 pm IST)