-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
પૂ. શાંતિબાપુ દ્વારા ૧૫૦૦ પીપળાનું રોપણ
નવી નાગાજાર ખાતે સત્તાધાર આશ્રમ સામે

રાજકોટઃ. નવી નાગાજાર કાલાવડ પાસે આવેલા સત્તાધાર આશ્રમ સામે યોગાચાર્યજી પૂ. શાંતિબાપુ દ્વારા સેવકગણના સહયોગથી વૃક્ષારોપણ થયુ હતું. પૂ. બાપુના હસ્તે ૧૫૦૦ પીપળાના વૃક્ષો અને અન્ય વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ હતું. અન્ય વૃક્ષોમાં રાવણા, લીમડા, બોરસલીના વૃક્ષોનો સમાવેશ થાય છે.
આયુર્વેદના ગહન અભ્યાસુ પૂ. શાંતિબાપુ કહે છે કે, મહામારી સમયે તાજેતરમાં પ્રકૃતિએ આપણને ઓકિસજનનું મહત્વ સમજાવી દીધું છે. ઓકિસજન વગર જીવ માત્ર તરફડિયા મારવા લાગે છે. પીપળાનું વૃક્ષ દિવ્ય છે અને ૨૪ કલાક ઓકિસજન આપે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યુ છે કે, વૃક્ષોમાં હું પીપળો છું. દરેક ગામમાં પીપળાના વૃક્ષોનું વન બનવું જોઈએ.
પૂ. શાંતિબાપુએ આશ્રમમાં પીપળાના ૮૦૦ વૃક્ષો ઉછેર્યા છે. હવે આશ્રમ સામે પીપળાના ૧૫૦૦ વૃક્ષો ઉછેરવાનું અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનમાં મુકેશભાઈ ડાંગરિયા, જયસુખભાઈ કોહિયા, બટુકભાઈ તથા કિશોરભાઈ ડાંગરિયા અને નિતેશભાઈ પટેલ તથા ગ્રામજનો જોડાયા છે.(૨-૨૧)