Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રૈયામાં ભરત મેરીયાને ભરવાડ બંધુએ કડાથી માર માર્યોઃ ખૂનની ધમકી

નાના ભાઇ કલ્‍પેશો સાથે ઝઘડો કરવાની ના પાડી સમજાવતાં ડખ્‍ખોઃ એટ્રોસીટી : જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી કપાળે કડુ મારતાં સાત ટાંકા આવ્‍યા

રાજકોટ તા. ૨૩: રેયા ગામમાં વેજાગામ વાજડી રોડ પર ડો. આંબેડકરસાહેબના સ્‍ટેચ્‍યુ પાસે રહેતાં અને ગેરેજમાં કામ કરતાં ભરત લાલજીભાઇ મેરીયા (ઉ.૨૮) નામના યુવાન પર રાતે સાડા નવેક વાગ્‍યે રૈયામાં કરિયાણાની દૂકાન પાસે ચોકમાં હતો ત્‍યારે રૈયામાં ભોલેબાબા ગોૈશાળા પાસે રહેતાં મુન્‍ના દેવાભાઇ મુંધવા અને રાજુ દેવાભાઇ મુંધવાએ હુમલો કરી હાથમાં પહેરવાના કડાથી કપાળે ઇજા કરતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં સાત ટાંકા લેવા પડયા હતાં.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે હોસ્‍પિટલે પહોંચી ભરત મેરીયાની ફરિયાદ પરથી ભરવાડ બંધુ સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો હતો. ભરતે જણાવ્‍યું હતું કે મારો ભાઇ કલ્‍પેશ કરિયાણાની દૂકાને વસ્‍તુ લેવા ગયો ત્‍યારે બંને ભરવાડ ભાઇઓએ તેને જેમ તેમ બોલી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં અને તેની સાથે મારામારી ગાળાગાળી કરતાં પોતે તેને છોડાવવા જતાં પોતાને મારકુટ કરી કપાળે કડુ મારી લેવાયુ હતું. તેમજ ઢીકાપાટુનો માર મારી ફરિયાદ કરશો તો ગમે ત્‍યારે પતાવી દઇશું તેવી ધમકી આપી હતી. એસીપી જી. એસ. બારીયા વધુ તપાસ કરે છે.

પારેવડી ચોકમાં જંગલેશ્વરના સમીર પર છરીથી હુમલો

જંગલેશ્વર-૨૭માં રહેતો સમીર નુરમહમદ ગોધારીયા (ઉ.૨૪) રાતે દસેક વાગ્‍યે પારેવડી ચોકમાં હતો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સે ઝઘડો કરી છરીથી ઇજા કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે -ડિવીઝનમાં જાણ કરાઇ હતી.

રાધાકૃષ્‍ણનગરમાં દિવ્‍યેશને હેમતે ધોકાથી માર્યો

જંગલેશ્વર રાધાકૃષ્‍ણનગર-૧૧માં રહેતાં દિવ્‍યેશ શંકરભાઇ વાઘેલા (ઉ.૨૫)ને રાતે ઘર પાસે હેમતે ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં સિવિલમાં દાખલ થતાં ભક્‍તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. 

(12:42 pm IST)