Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રામનવમી તથા મહાવિર જયંતિએ કતલખાના બંધ રાખવા મનપાનું જાહેરનામું

માંસ-મટન-મચ્‍છી-ચીકનના વેંચાણ કે સંગ્રહ ઉપર પણ પ્રતિબંધ ફરમાવતા મ્‍યુ. કમિશ્‍નર

રાજકોટ તા. રરઃ આગામી તા. ૩૦ના રોજ ‘‘રામનવમી'' નિમિતે તથા તા. ૪ એપ્રિલના રોજ ‘‘મહાવીર જયંતી'' નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્‍છી અને ચીકનનું વેંચાણ કે સ્‍ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું મ્‍યુ. કમિશ્‍નર અમિત અરોરા દ્વારા પ્રસિધ્‍ધ કરાયું છે.

આ જાહેરનામાની અમલવારી ચુસ્‍તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ ની કલમ ૩ર૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્‍વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

(4:48 pm IST)