Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

રાજકોટમાં નડતરરૂપ પ૩૯ વીજ થાંભલા ખસેડાયા

ગાંધીનગર તા. ર૧: રાજકોટ મહાનગર પાલિકા હેઠળ વિસ્તારમાં ડી.આઇ.એસ. યોજના અંતર્ગત કરવામાં આવેલ કામગીરી અંગે ભાજપના ગોવિંદભાઇ પટેલના પ્રશ્નના ઉત્તરમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, તા. ૩૧-૧ર-૧૭ના ડિસ્ટ્રીકબ્યુશન ઇન્ફાસ્યુચર શિફટીંગ યોજના અંગર્તત છેલ્લા બે વર્ષમાં રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા પર નડતરરૂપ કુલ-પ૩૯ થાંભલા અને ૧૦૩.૧પ ની વીજ લાઇનો ખસેડવાની કામગીરી કરવામાં આવેલ છે અને આ કામગીરી પાછળ કુલ રૂ. ૧૦.૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.

(9:12 am IST)