Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સંઘ મહાન છે, વ્યકિત નહિ

સંઘના કાર્યકર જ નહિ સનિષ્ઠ શ્રાવક બનો કાંતિક્રારી સંત પારસમૂનિ

 રાજકોટઃ તા.૨૨, સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદિશમુનિ મ.સા.ના સુશિષ્ય કાંતિકારી સંત પૂ. પારસ મૂનિ મ.સા.ના સુમંગલ સાનિધ્યે શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ પતનનગર ઘાટકોપરમાં તા.૨૧ના પતનગર શ્રી સંઘની રજત જયંતિ  ઉજવવામાં આવી

 આ પસંગે્ર મહારાષ્ટ્રના કેબીનેટ મિનિસ્ટર શ્રી પ્રકાશભાઇ મહેતા, નગરસેવક શ્રી પરાગભાઇ શાહ, નગરસેવક શ્રી રાખી જાધવ પૂર્વનગર સેવક શ્રી ભાલચંદ્રશિરસાટ, શ્રી અવિનારા જાધવ વગેરે ઉપસ્થિત રહયા.

 રજતજયંતિ નિમિતે શ્રી સંઘે સોવિનિયરનું વિમોચન મુખ્યદાતા કિર્તિભાઇ કોઠારી, શ્રીમતિ રીટાબેન કોઠારી, હિંગવાલા સંઘ પ્રમુખ શ્રી બિપીનભાઇ સંઘવી તથા પતનગર શ્રી સંઘના ટ્રસ્ટીગણ, પ્રમુખ કારોબારી સભ્યોએ કયુંર્ હતુ. પ્રમુખ શ્રી મનસુખભાઇ પંચમીયાએ સૌનું સ્વાગત કરેલ કાર્યક્રમનું સંચાલન શ્રીમતી છાયાબેન પ્રવરભાઇ કોટીચા કરેલ

 પૂ. ગુરુદેવે જણાવેલ કે શ્રસ સંઘમાં સૌ હળીમળીને રહો છો, કાર્ય કરો તે સારી વાત છે. પરંતુ સૌ હળીમળીને આરાધના કરોતો વિશેષ સારૂ છે. સંઘના માત્ર કાર્યકર જ નહિ, સંનિષ્ઠ શ્રાવક બનો સંઘમહાન, વ્યકિત નહિ

(3:34 pm IST)