Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મિલકત વેરા વળતર યોજનાના છેલ્લા ૧૦ દી': ૧૭૦.૯૫ કરોડની આવક

૩૧ મે સુધીમાં ૧૫૮ કરોડ વેરાની આવક થવા પામી હતીઃ છેલ્‍લા ૨૧ દિવસમાં માત્ર ૧૨ કરોડની આવકઃ ૩૦ જુને યોજના પુર્ણ : ૫ થી ૧૦ ટકા ડિસ્‍કાઉન્‍ટમાં ઓછો પ્રતિસાદ

રાજકોટ,તા.૨૧: સને ૨૦૨૨-૨૩ના વર્ષમાં તા.૩૦ જુન સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૫% અને મહિલા મિલ્‍કત ધારકને ૧૦% વળતર આપવાનું હાલ ચાલુ છે. જેમાં આજે તા.૨૧ જુન સુધીમાં ૨,૭૭,૯૫૨ કરદાતાઓએ એડવાન્‍સ મિલ્‍કત વેરા વળતર યોજનાનો લાભ લીધો છે અને વેરા પેટે કુલ રૂ. ૧૭૦.૯૫ કરોડની રકમ ભરપાઈ કરી છે. આ યોજના હેઠળ  મે માસમાં તા.૩૧ સુધીમાં રૂા.૧૫૮ કરોડ વેરાની આવક થવા પામી હતી. આમ ૨૧ દિવસમાં ૧૨ કરોડ કરદાતાઓએ તંત્રની તીજોરીમાં ઠાલવ્‍યા છે.
આ અંગે મનપાની વેરા શાખાનાં સતાવાર સુત્રો માંથી મળતી માહિતી મુજબ  તા.૧ એપ્રિલથી તા.૨૧ જુન સુધીમાં ૨,૭૭,૯૫૨ કરદાતાઓએ કુલ રૂ.૧૭૦.૯૫ કરોડની રકમ મિલ્‍કત વેરા પેટે ભરપાઈ કરી છે. જેમાં  ુ ૧,૭૩,૫૩૬ નાગરીકોએ ઓનલાઇન મારફત રૂા.૯૫.૭૯ કરોડનો વેરો ભર્યો છે.
તા.૧ જુન થી ૩૦ જુન સુધી મળનાર લાભ
૧ જુન થી ૩૦ જુન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર ૫% વળતર આપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૫% વળતર આપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્‍ટ કરનાર મિલ્‍કત ધારકનેઆપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૧% આપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્‍યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧ % આપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ ૪૦ % થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્‍ત) હોય અને તેમના જ નામે હોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ ૫ % વળતર આપવામાં આવશે.

 

(4:02 pm IST)