Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રાજકોટ જિલ્લામાં ૧,૫૫,૬૪૪ હેકટરમાં થયેલું ખરીફ પાકોનું વાવેતર

ચાલુ વર્ષે ખરીફ પાકોમાં ૭૩૨ હેકટર સોયાબીનનું વાવેતર કરતા ધરતીપુત્રો

 

રાજકોટ:રાજકોટ જિલ્લામાં ધીમે-ધીમે વરસાદી માહોલમાં ખેડુતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં ખરીફ પાકમાં જિલ્લાના અગીયાર તાલુકામાં કુલ ૧,૫૫,૬૪૪ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.જી.રાઠોડે જણાવ્યું છે.

રાઠોડનાં જણાવ્યા મુજબ ચાલુ ખરીફ મોસમમાં તા.૧૭ જૂન સુધીમાં મગફળી – ૭૮૫૨૬ હેકટર, કપાસ (પિયત)૭૨૯૦૨ હેકટર,શાકભાજી ૧૬૪૭ હેકટર, ધાસચારો ૧૫૪૪ હેકટર ઉપરાંત ૭૩૨ હેકટરમાં સોયાબીનનું વાવતેર કરાયું છે. જિલ્લાનો છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નોર્મલ વાવેતર વિસ્તાર ૫,૩૩,૬૫૦ હેકટર નોંધાયો છે. તેમ પણ રાઠોડે ઉમેર્યુ હતું.

(12:26 am IST)