Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રવિવારે માટીના વિવિધ વાસણો રૂ.૧૦માં

'નવરંગ'નું આયોજન * શાકભાજીનું દેશી બિયારણ રૂ. ૧૦માં * દેશી ગોળ, મધ, બિજોરાનું સરબત, એલચી કેળા, અનાનસ, દાડમ, ઘાણીનું સિંગતેલ વગેરે રાહત દરે મળશે

રાજકોટ તા.૨૧: નવરંગ નેચરલ કલબ-રાજકોટ દ્વારા દેશી શાકભાજીના બીયારણો, વિવિધ માટીના વાસણો, લીલી ચાના રોપા, ઝાડ ઉપર પાકેલ પોપૈયા, ઓર્ગેનીક દેશી ગોળ, લીલા નાળીયેર, બીજોરાનું સરબત રાહત દરે વિતરણ થશે.

સુર્યમુખીના બીજઃ સુર્યમુખી કોઇપણ ઋતુમાં અને કોઇપણ જમીનમાં વાવી શકાય છે. તેના ફુલ લાંબો સમય સુધી ટકે છે અને મધમાખીઓને પુષ્કળ મધ મળી રહે છે. સુર્યમુખીના પાકલ બીજમાંથી સરસ મુખવાસ બને છે. દરેક વાડીએ, ફળીયામા, સ્કુલ કોલેજોના મેદાનમાં અને ફુંડામાં વવાય તે માટે સૌરાષ્ટ્ર વ્યાપી આજ ઝુંબેશમાં જોડાય. સુર્યમુખી વાવો તેવી વિનંતી એક પેકેટના રૂ.૧૦/-.

દેશી બીયારણઃ વિવિધ જાતના શાકભાજીના બીયારણો જેવા કે દુધી, રીંગણા, ચોળી, સરગવો, પપૈયા, ગાજર, પાલક પેકેટની કિંમત માત્ર રૂ.૧૦/- દેશી બીયારણો ખતમ થતા જાય છે તેની જાળવણી થાય તે માટે આપ આ બીયારણ વાવી દેશી બીયારણને બચાવવાની ઝુંબેશમાં સહયોગ આપશો.

લીલા ચાના રોપાઃ પોલીથીન બેગમાં તૈયાર કરેલ આરોપા એક રોપાના રૂ.૨૦/- લેખે વેચાણ થવાનું છે.

પેપૈયાઃ ઝાડ ઉપર પાકેલ આ પોપૈયા ખેડુત સીધા વેચવા આવે છે. એક કિલોના રૂ.૨૦/- લેખે વેચાણ છે.

ઓર્ગેનીક દાડમઃ કાલાવડ તાલુકાના ખેડુતોએ પોતાના ખેતરમાં ઓર્ગેનીક દાડમની ખેતી કરે છે તે ખેડુત સીધુ વેચાણ કરવા અહીં આવે છે.

આદુઃ આદુનું સેવન કરવાથી કફ અને પીતમાં ખુબ જ ફાયદો થાય છે પાચન ક્રિયા સુધરે છે. સ્થુળતા, જાડાપણું અને મેદ ઘટાડે છે. હૃદયને ફાયદો કરે છે. ફેફસામાં કફના ઝાડા તોડે છે. વધુ પ્રમાણમાં પેશાબ લાગે છે. છાતીમાંથી શરદી કાઢે છે. આમવાત (એસીડીટી) સોજા મટાડે છે. લોકો વધુમાં વધુ આદુનો વપરાશ કરતા થાય એવા પ્રયત્નો સતત અમારા તરફથી કરવામાં આવે છે. આપ પણ આદુનો પ્રચાર કરી સેવા કરી શકાય.

ઓર્ગેનીક દેશી ગોળઃ ગીરની પ્રખ્યાત શેરડીનો દેશી બનાવટનો કોઇપણ જાતની દવા નાખ્યા વિનાનો ગોળ ૧-કિલોના રૂ.૫૫ લેખે પ્લાસ્ટીકની ડબ્બીમાં ૪-કિલો ગોળ રૂ.૨૨૦માં વેચાણ છે.

અગરબતીઓઃ ઘરબેઠા રોજગારીોનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. આપ આ ગગરબતીઓ લઇ આડકતરી રીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

દેશી અથાણાઃ હાથ બનાવટના કેમીકલ વગરના દેશી અથાણાઓ જેવા કૈડા, ગુંદા વિગેરે મળશે.

દેશી ગાયનું ઘીઃ વિધવા બહેનો પગભર થાય તે માટે દેશી ગાયો રાખી તેનું ઘી અને છાશ બનાવી અહીં વ્યાજબી દરે વેચાણ માટે આવે છે. તો આપણે તેને પગભર કરવા માટે ગાયનું ઘી અને છાશનો ઉપયોગ કરી તેને મદદરૂપ થઇએ.

ફુલછોડઃ કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ (૧૫-જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી  કિંમતે મળશે.

એલોવેરા જેલઃ એલોવેરા જયુસ સપ્તચુર્ણ રાહતદરે મળશે. લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ

અજમાનું મધ (પ્રવાહી સોનું): અહીં માત્ર રૂ.૨૪૦/-ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે, લીવર-કિડનીને ફાયદો કરે છે, ચરબી ઓછી કરે છે, કબજીયાત દુર થાય છે.

હાથલા થોરના ફળમાંથી બનાવેલ સરબતની બોટલો બજારમાં રૂ.૨૦૦/-ની મળે છે અને અંદર કેમીકલ નાખેલુ હોય છે. જયારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી, પુરેપુરૂ કુદરતી છે અને રૂ.૧૦૦માં સરબતની બોટલનું વેચાણ થાય છે.

આ કાર્યક્રમ સ્થળઃ સિસ્ટર નિવેદિતા, નિરંતર શિક્ષણ કેન્દ્ર (ખેલાઘર), ૩-બાલમુકુન્દ પ્લોટ્સ, ફાયર બ્રિગેડથી થોડે દુર, નિર્મળા કોન્વેન્ટ રોડ, રાજકોટ ખાતે તા.૨૫-૨-૨૦૧૮ (દર રવિવાર રાજકોટ), સમય સવારે ૯ થી ૧-૩૦ યોજાશે તથા સ્વ.મનસુખભાઇ વોરા, બોલબાલા સ્મૃતિ ભવન, બાપુની વાડી મેઇન રોડ, જેતપુર તા.૨૫-૨-૨૦૧૮, રવિવાર, સમય સવારે ૯ થી ૨ થશે. વધારે વિગતો માટે વી.ડી. બાલા મો.૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.

*દેશી ગાયનું ઘી-૧ કિલોના રૂ. ૮૦૦/-

* વિવિધ જાતના લોખંડના વાસણો મળશે

*વિવિધ જાતના ફળો રાહત દરે મળશે.

*વિવિધ જાતના શાકભાજી ખેડૂતો

સીધા વેચવા આવશે.

*વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ

*ઓર્ગેનિક મગ-૧ કિલોના રૂ. ૮૦/-

*રાહત દરે લીંબડા સાબુ

* આદુ-૧ કિલોના રૂ. ૬૦/-

*દેશી મુખવાસ

*વિવિધ જાતના માટીના વાસણો માત્ર રૂ.૧૦/-

*લીલા નાળિયેર કિંમત રૂ. ર૦/-

*પુઠાના ચકલી ઘરઃ ચકલી ઘર રૂ. ૧૦/-

*પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા : કિંમત રૂ. ૧૦/-

*લીલા નાળીયરનો હલવો પ૦૦-ગ્રામના રૂ. ૧૩૦/-

*સરગવાના પાંદડાનો પાવડર -૧ પેેકેનેટ રૂ. ર૦

*બીજોરાનું સરબત રૂ. ૧૦/-

* લીલી હળદર

(4:13 pm IST)