Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

'સર્વે ભવંતુ સુખીન' મંત્રીને ચરિતાર્થ કરતું બજેટ

વિકાસશીલ બજેટ, વિજયભાઈ - નીતિનભાઈને અભિનંદન આપતા રાજુભાઈઃ મા અમૃતમ યોજનામાં આવક મર્યાદામાં વધારો, યુવાનોને નોકરી અને ધંધા - રોજગાર યોજનાની વ્યાજમાં રાહતનો નિર્ણય આવકાર્ય

રાજકોટ, તા.૨૧, ગુજરાતના વર્ષ ૨૦૧૮-૧૯નાં અંદાજપત્રને રાજુભાઈ ધ્રુવે અત્યંત હર્ષભેર વધાવી લેતા જણાવ્યું છે કે, ગુજરાતના સર્વતોમુખી વિકાસને અત્યંત ઝડપી ગતિએ નવી ઊંચાઈઓ ભણી લઇ જવાની સરકારની પ્રતિબધ્ધતાના સોનેરી દસ્તાવેજ સમાન છે. આ અંદાજપત્ર 'સર્વે ભવંતુ સુખીનઃ' મંત્રને ચરિતાર્થ કરવાના અનન્ય પ્રયાસોનું પ્રતિબિંબ છે. ગુજરાતના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માળખાકીય એમ ચતુર્ભુજ વિકાસને નવા પરિમાણ આપવા માટે ગુજરાત સરકાર કટીબદ્ઘ છે તેની પ્રતીતિ થાય અને વિકાસના પ્રત્યેક તબક્કે પ્રજાના એકેએક વર્ગની ખેવના રહે તે હકીકત સુનિશ્ચિત કરવાના સંનિષ્ઠ પ્રયાસો બદલ નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદનનાં ખરા હકદાર છે.

ભાજપના છેલ્લા અઢી દાયકાના સુશાસન દરમિયાન, ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે તે હકીકત આજે કોઇથી અજાણી નથી. દેશ-વિદેશ આખામાં ગુજરાતના ગુણગાન ગવાય છે અને બીજા રાજયો ગુજરાત જેવો વિકાસ ઝંખે છે તે બાબત ભાજપની નિષ્ઠાવાન સરકારના અવિરત પ્રયાસોને કારણે સિદ્ઘ થઇ છે. ગુજરાતના આવા ઝળકતા વિકાસને નવી ઊંચાઈઓ સુધી લઇ જવાનો 'રોડમેપ' એટલે ૨૦૧૮-૧૯નું બજેટ. નાણામંત્રીશ્રીએ તમામ વર્ગોની સુખાકારી સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડી નથી. ગ્રામ્ય વિકાસ, કૃષિ વિકાસ, ખેડૂત કલ્યાણ, યુવા રોજગાર, મહિલા સશકિતકરણની બાબતોને પ્રાધાન્ય આપવાની સાથે નિર્ધન અને મધ્યમ વર્ગોને શિક્ષણ, આરોગ્યની અનેકવિધ સુવિધાઓ સુલભ બનાવવાની મહત્ત્।મ યોજનાઓ ગુજરાત સરકારના બજેટમાં રજૂ કરાઈ છે તેનો સમાજના જરૂરતમંદ તમામ લોકોને સાચા અર્થમાં લાભ મળશે તે નિશ્ચિત્ત્। છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રેભાઇ મોદીએ શરૂ કરેલી ગુજરાતની અભૂતપૂર્વ વિકાસયાત્રાને નવી ઊંચાઇઓ પર લઇ જવાની પૂર્ણ કટિબધ્ધિતા ધરાવતા આ બજેટમાં મુખ્યનમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યઇમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે છેવાડાના માનવી સુધી પાયાની સવલતો પહોંચાડવાની સાથે રાજયમાં વૈશ્વિક સ્તતરની આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ સાથે ગુજરાતને વિકાસપથ પર સદા અગ્રેસર રાખવાની નેમ સુપેરે દેખાઇ આવે છે.'

કેન્દ્ર  તથા રાજયની ભાજપ સરકારોએ કૃષિ વિકાસ અને ખેડૂત કલ્યાદણકારી નીતિઓને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટેના ગુજરાત સરકારના અંદાજપત્રમાં પણ કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે કુલ રૂ.૬,૭૫૫ કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતોને વિના વ્યાજે પાક ધિરાણ, ટેકાના ભાવે ખરીદી,  સ્ટોરેજ ક્ષમતામાં વધારો, પાકવીમા નીતિ ઉપરાંત, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ખેડૂત અકસ્માત વીમો, ભાવ સ્થાયીકરણ, પાક રક્ષણ માટે ખેતરોમાં તારની વાડ, પાણી પુરવઠા માટે રૂપિયા ૧૪,૮૯૫ કરોડની જંગી જોગવાઇ, ગ્રામીણ ક્ષેત્રોમાં ૧૦૦ નવા વીજ સબસ્ટેટશનો બનાવવાની જાહેરાત વગેરે ગ્રામ્ય, કૃષિ અને ખેડૂત વિકાસની અનન્ય જોગવાઈઓ છે. 

'મુખ્યમંત્રી અમૃતમ યોજના' અને 'મા વાત્સવલ્યય યોજના'નો વ્યાપ રૂ. ૩ લાખની વાર્ષિક આવક મર્યાદા સુધી વધારવાની તેમજ સારવાર માટેની મર્યાદા પણ વધારીને રૂ. ૩ લાખ કરવામાં આવી તેમાં મુખ્યવમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારની સંવેદનશીલતાનો પરિચય મળે છે. આ ઉપરાંત, વાર્ષિક ૬ લાખ સુધીની આવક ધરાવતા કુંટુંબના સિનિયર સિટીઝન્સને પણ આ યોજના હેઠળ આવરી લેવાનું પગલું માનવીય સંવેદનાથી સભર છે. કુલ મળીને ગુજરાતના ૬૦ લાખ પરિવારોને આ યોજનાનો લાભ મળવાનો છે.

યુવા રોજગારીને પ્રોત્સાહન આપવા ઐતિહાસિક કહી શકાય તેવી 'મુખ્ય મંત્રી એપ્રેન્ટી સ યોજના' અંતર્ગત અંતર્ગત સ્નાતકને માસિક રૂ.૩,૦૦૦/-, ડિપ્લોજમાધારકોને માસિક રૂ.૨,૦૦૦/-, તેમજ અન્યોરને માસિક રૂ. ૧,૫૦૦/- લેખે એક લાખ યુવાનોને રોજગાર સહાય, તેમજ આ વર્ષે વધુ ૩૦,૦૦૦ યુવાનોને સરકારના વિવિધ વિભાગોમાં નોકરીઓ આપવામાંની ખાતરી, ચાર લાખ જેટલા યુવાનોને ભરતી મેળાના માધ્યનમથી ખાનગી એકમોમાં રોજગારીની યોજના, મુખ્યેમંત્રી યુવા સ્વાાવલંબન યોજના માટે રૂ.૯૦૭ કરોડની જોગવાઇ તેમજ નાના વ્યવસાયકારોને ધંધાકીય લોનમાં વ્યાજ રાહતની પણ જાહેરાત વગેરે બાબતો બેરોજગારીની સમસ્યાનો અસરકારક ઉકેલ લાવશે. આની સાથે શિક્ષણ ક્ષેત્રે રૂ. ૨૭ હજાર કરોડની ફાળવણી શૈક્ષણિક વિકાસને વિશ્વ કક્ષાએ લઇ જવાના હેતુ અભૂતપૂર્વ સાબિત થશે.

રાજુભાઈ ધ્રુવે રાજય સરકારની નાણાકીય શિસ્તટની પ્રશંસા કરતાં જણાવ્યુ્ છે કે, દર વર્ષે સતત વિકાસલક્ષી બજેટ આપવા છતાં, રાજકોષીય ખાધ માત્ર ૧.૪૨ ટકા રહી છે તે પ્રજાના નાણાનો વ્યય ના થાય તે માટેની સરકારની પ્રતિબધ્ધતાનો નિર્દેશ આપે છે. વેરા આવકમાં ૨૦.૯૨ ટકાનો વૃધ્ધિ દર અને ઉત્પાદનમાં ૧૩ ટકાની વૃધ્ધિ રાજયની વિકાસ ગાડી પૂરપાટ દોડી રહી હોવાનું દર્શાવે છે. આમ, આ બજેટ સુશાસન અને સુરાજયના આદર્શોના પાલન અને પ્રજાની અપેક્ષાઓ પરત્વે ખરા ઉતરવાનો સુવર્ણ દસ્તાવેજ છે તેવું જણાવ્યુ હતું.

(11:42 am IST)