Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સંક્રાતને દિવસે ચાપડી તળતી વખતે દાઝી ગયેલા હરદેવસિંહ ઝાલાનું મોત

કાલાવડ રોડ રૂરલ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા સ્વજનોમાં શોક

રાજકોટ તા. ૨૧: કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ રૂરલ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં હરદેવસિંહ ખાનુભા ઝાલા (ઉ.વ.૪૪) મકર સંક્રાંતને દિવસે ચાપડી તળી રહ્યા હતાં ત્યારે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમણે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.

હરદેવસિંહ ઝાલા સંક્રાંતિના દિવસે  ઉંધીયુ ચાપડી બનાવવા ચાપડી તળી રહ્યા હતાં ત્યારે પેન્ટ સળગતાં ઠારવા જતાં ઉકળતા તેલનું બકડીયું ઢોળાતાં છાતી, પેટ, પગના ભાગે દાઝી જતાં સારવારમાં હતાં. આજે મૃત્યુ નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર હરદેવસિંહ બે ભાઇમાં નાના હતાં અને ડ્રાઇવીંગ કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે.

(1:24 pm IST)