Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પદ્માવત મામલે અનિલ કપૂરે રાજપૂત સમાજની લાગણી દુભાવીઃ લેખિતમાં માફી માંગવા તૈયારી

પદ્માવત સંઘર્ષ સમિતનીના આગેવાનો મલબાર ગોલ્ડ-ડાયમંડ્સ શો રૂમ ખાતે પહોંચ્યાઃ ભારે રોષ વ્યકત કર્યો

રાજકોટ તા. ૨૦: મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના યાજ્ઞિક રોડ ખાતેના શો રૂમના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા અભિનેતા અનિલ કપૂરે પદ્માવત ફિલ્મ રિલીઝ થાય તે માટે પોતે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાની વાત મિડીયાના સવાલનો જવાબ આપતાં જણાવતાં રાજકોટ પદ્માવત સંઘર્ષ સમિતી અભિનેતાના આવા નિવેદનથી રોષે ભરાઇ હતી. સમિતીના આગેવાનો મલબારના શો રૂમે પહોંચ્યા હતાં અને અનિલ કપૂરના ઉદ્દબોધનથી રાજપૂત સમાજની લાગણી દુભાઇ હોવાની લાગણી વ્યકત કરી હતી. તેમજ કાળા વાવટા કે અન્ય કોઇ કાર્યક્રમો આપવા પડે એ પહેલા અભિનેતા દિલગીરી વ્યકત કરે તેવી માંગણી કરતાં અનિલ કપૂરે લેખિતમાં માફી માંગી રહ્યાનું જાણવા મળે છે.

(4:16 pm IST)