Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સદર ભીલવાસમાં ગઇ રાત્રે બંધ મકાનમાં આગ લાગતાં ઘર વખરી બળી ગઇ

રાજકોટ તા. ૧૭ :.. શહેરનાં સદર ભીલવાસમાં ગઇ રાત્રે ૭.૪પ વાગ્યે બંધ મકાનમાં આગ લાગતાં ફાયર બ્રીગેડે ૧ કલાકની જહેમત બાદ આગ બુઝાવી નાખી હતી. જો કે ઘરમાં ઘર વખરી બળીને ખાખ થઇ ગયેલ હતી.

બનાવની ફાયર બ્રીગેડમાં નોંધાયેલ વિગતો મુજબ સદર ભીલવાસ શેરી નં. ૩ માં મુકેશ જીવાભાઇ કડવાતરનાં બંધ મકાનમાં આગ લાગવાનો કોલ મળતાં ફાયર બ્રીગેડનાં જવાનોએ ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવી નાખી હતી.

આ આગમાં પંખા, ફ્રીઝ, ગાદલા, ગોદડા ડ્રેસ મટીયરલનો કાચો માલ ત્થા રેડી ડ્રેસ સહિત ઘરવખરીનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.આગ બુઝાવવાની કાર્યવાહી ફાયર સ્ટાફનાં શામજીભાઇ, રહીમભાઇ, જગદેશ નેંનુજી, સંજયભાઇ, દિલીપસિંહ, હાર્દિપસિંહ, રવજીભાઇ વગેરેએ હાથ ધરી હતી.

(3:33 pm IST)