Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

આગામી ૨૫મીએ મતદાતા દિવસઃ રાજકોટમાં દિવ્યાંગ અને શતાયુ મતદારોનું થશે ભવ્ય બહુમાન

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યક્રમઃ શ્રેષ્ઠ ૨૪ BLO - એક નાયબ મામલતદાર - ૮ સુપરવાઇઝરોનું પણ સન્માન

રાજકોટ તા. ૨૨ : આગામી તા. ૨૫મીએ રાજકોટ સહિત રાજ્યભરમાં અને દેશભરમાં ચૂંટણી પંચ મતદાતા દિવસ ઉજવશે.

આ અંગે રાજકોટમાં પણ ૨૫મીએ સવારે ૧૧ વાગ્યે સંભવતઃ મહિલા કોલેજ ખાતે કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા, ૪ દિવ્યાંગ મતદારો અને ૪ શતાયુ મતદારોનું મોમેન્ટો - પ્રમાણપત્ર - શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરાશે.

આ ઉપરાંત ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી દાખવનાર વિધાનસભા બેઠક દીઠ ત્રણ-ત્રણ બુથ લેવલ ઓફિસરો, જિલ્લા દીઠ એક નાયબ મામલતદાર અને વિધાનસભા બેઠક દીઠ એક-એક સુપરવાઇઝરનું સન્માન કરાશે.

હાલ આ બાબતે કલેકટરના માર્ગદર્શન હેઠળ સ્ક્રુટીની થઇ રહી છે, બુધવારે નામો ફાઇનલ થશે તેમ સાધનોએ ઉમેર્યું હતું.

(8:59 am IST)