Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

રાજકોટમાં જેના અપહરણની ફરિયાદ નોંધાઇ એ હરસિધ્ધી સોસાયટીનો સગીર ચિરાગ પટેલ અમદાવાદથી મળી આવ્યો

રાજકોટઃ ગ્રીનલેન્ડ ચોકડી પાસે હરસિધ્ધી સોસાયટી-૪માં રહેતાં નિતીનભાઇ ઘેલાભાઇ રામાણી (લેઉવા પટેલ) (ઉ.૪૭)એ પોતાનો પુત્ર ચિરાગ (ઉ.૧૭) ૧૨/૧ના બપોરે એકાદ વાગ્યે ઘરેથી નીકળી જતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવતાં બી-ડિવીઝન પી.એસ.આઇ. પી. બી. જેબલીયાએ સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર સગીર ગૂમ થવાના કિસ્સામાં તુરત જ અપહરણનો ગુનો અજાણ્યા શખ્સો સામે નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચિરાગ અમદાવાદથી હેમખેમ મળી આવતાં પરિવારજનો અને પોલીસે રાહત અનુભવી છે. ચિરાગ પોતાની જાતે ફરવા જતો રહ્યો હતો.

 

(10:30 am IST)