Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

બેભાન હાલતમાં અમીનભાઇ પઠાણ અને રાજેશભાઇ ચાવડાના મોત

આશાપુરાનગર-ગોકુલપરાના પરિવારોમાં શોક

રાજકોટ તા. ૨૦: કોઠારીયા રોડ આશાપુરાનગર-૧૬માં રહેતાં અમીનભાઇ અકબરભાઇ પઠાણ (ઉ.વ.૪૫) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતક મુળ અજમેરના હતાં. વર્ષોથી અહિ રહેતા હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

બીજા બનાવમાં થોરાળા ગોકુલપરા-૩માં રહેતાં રાજેશભાઇ અશોકભાઇ ચાવડા (ઉ.વ.૪૮) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ નિપજ્યું હતું. મૃતક કલીનર તરીકે કામ કરતાં હતાં. ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. બંને બનાવમાં ભકિતનગર અને થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:05 am IST)