Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સાચી રે મારી સત રે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા રે...

રાજકોટ : નવરાત્રી શરૂ થઇ ચુકી છે. આજે ચોથુ નોરતુ છે. આદ્યશકિતની આરાધનામાં શહેર ઓળઘોળ બનયુ છે. આ વર્ષે કોરોના મહામારીની પરિસ્થિતિ ધ્યાને લઇ પ્રાચિન- અર્વાચિન રાસ ગરબાના આયોજનો બંધ રાખવામાં આવ્યા છે. અમુક સ્થળોએ માત્ર શુકનરૂપ આયોજનો કરાયા છે. જયાં સરકારી ગાઇડ લાઇનને અનુસરી શુકનરૂપે માતાજીના આરતી ગરબા ગાઇને સમાપન કરી દેવામાં આવે છે. તસ્વીરમાં કેટલાક સ્થળોએ થયેલા આવા ગરબાના આયોજનોમાં માતાજીની ભકિતમાં ઓળઘોળ ગરબી મંડળની બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(2:39 pm IST)