Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

પાટીદાર પેન્થર ગાર્ડનમાં શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથાઃ પડસુંબીયા પરિવારનું આયોજન

રાજકોટઃ પાટીદાર પેન્થર ગાર્ડનના આંગણે આયોજન થયુ છે. પોથીયાત્રામાં શહેર ભાજપ કમલેશભાઇ મીરાણી, મેયર ડો. પ્રદીપભાઇ ડવ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલની વોર્ડ નંબર ૯ના કોર્પોરેટર્સ તથા વોર્ડના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર ચોક નજીક પાટીદાર પેન્શર ગાર્ડનમાં પડસુંબિયા પરિવાર દ્વારા તેમજ પાટીદાર પેન્થર ગ્રુપના સહયોગથી તા.૧૮થી ૨૨ દરમ્યાન શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન હાથ  ધરવામાં આવ્યું છે પ્રજ્ઞા પુત્રી રશ્મીકાબેન પટેલ(ડભોઇવાળા) શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથાનું રસપાન કરાવી રહ્યા છેે. તેમજ તા.૧૮થી ૨૨ દરમિયાન દરરોજ રાત્રે૮.૪૫થી ૧૧.૩૦ સુધી રાધારાણીની જન્મભુમી બરસાના રાધાકૃષ્ણ લીલા મંડળ દ્વારા દરરોજ રાત્રે કૃષ્ણલીલા રજૂ કરશે. કથા પૂર્ણાહુતિના દિવસે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞનું સંચાલન ગાયત્રી શકિતપીઠ રાજકોટ દ્વારા કરવામાં આવશે. પોથીયાત્રામાં સામેલ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણીનું સન્માન પાટીદાર પેન્થર ગ્રુપના ઉપપ્રમુખ આર.સી.પટેલ દ્વારા તેમજ પાટીદાર પેન્થર ગ્રુપના પ્રમુખ કૌશિકભાઇ ગોવાણી દ્વારા ફુલહાર દ્વારા શહેરના મેયર પ્રદીપભાઇ ડવનું સન્માન તેમજ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલનું સન્માન પાટીદાર પેન્થર ગ્રુપના ટ્રસ્ટી જગદીશભાઇ પરસાણીયા દ્વારા કરવામાં આવ્યુ હતું. વોર્ડ નંબર ૯ના કોર્પોરેટર જીતુભાઇ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, તેમજ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઇ પુજારા, વોર્ડ નંબર ૯ના હોદેદારો પ્રદીપભાઇ નિર્મળ, હિરેનભાઇ સાપરિયા, વિરેન્દ્રભાઇ ભટ્ટ, જાગૃતિબેન ભાણવડીયા, સંજયભાઇ ભાલોડીયા, કુલદીપભાઇ જાડેજા, મનીષાબેન માકડિયા તેમજ શ્રી જયસુખભાઇ કાથરોડીયા એ હર્ષોલ્લાસ સાથે હાજરી આપી હતી.

(4:09 pm IST)