Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી નરેશભાઈ સિનરોજા અને તેમના ગ્રુપે ૧૦ કિ.મી.નું 'ડ્રીમ રન' પૂર્ણ કર્યુ

રાજકોટ : ગઈકાલે શહેરમાં મેરેથોનનું શાનદાર આયોજન થયુ હતું. જેમાં નાના બાળકોથી માંડી મોટી ઉંમરના હજારો લોકો દોડ્યા હતા. દરમિયાન રાજકોટ- સૌરાષ્ટ્રના નામાંકિત ધારાશાસ્ત્રી શ્રી નરેશભાઈ સીનરોજા અને તેમના ગ્રુપે પણ સફળતાપૂર્વક ૧૦ કિ.મી. સુધીનું ''ડ્રીમ રન'' પૂર્ણ કર્યુ હતું. ૭૦ વર્ષના જુવાન એવા નરેશભાઈ સાથે શ્રી રાજેશચંદ્ર પ્રસાદ અને તેમના ધર્મપત્નિ સોમ્યાબેન, અંજનીકુમાર અને તેમના ધર્મપત્નિ રૂપમબેન, અજયસિંહ ઝાલા, વિમલભાઈ, પ્રશાંતજી અને તેમના ધર્મપત્નિ પણ જોડાયા હતા. આ ગ્રુપે રેસકોર્ષ ખાતેથી શરૂ કરી મહિલા કોલેજ, કાલાવડ રોડ, નિર્મલા સ્કુલ, રૈયા ચોકડી, શિતલ પાર્ક, જામનગર રોડ થઈ રેસકોર્ષ ખાતે દોડને સમાપન કરેલ. તસ્વીરમાં ધારાશાસ્ત્રી શ્રી નરેશભાઈ સીનરોજા (મો.૯૮૨૫૦ ૭૬૫૭૫) તેમજ તેમના મિત્રો નજરે પડે છે.(૩૭.૧૦)

(12:57 pm IST)