Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

આગામી ર૧ મીથી રાજકોટથી દાહોદ-ગોધરા તરફ ૧પ એકસ્ટ્રા બસો દોડશેઃ પાટણ ઘટનાની અસર નથી

રાજકોટથી ઉતર ગુજરાત તરફ રાબેતા મુજબ બસો જાય છેઃ જેઠવાનો નિર્દેશ

રાજકોટ, તા., ૧૯: રાજકોટ એસટીના ડીવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ આજે સવારે અકિલાને જણાવ્યું હતું કે, પાટણમાં આત્મ વિલોપનની ઘટનાના પગલે ઉતર ગુજરાત તરફ જતી બસોને ગઇકાલે સવારે અટકાવાઇ હતી. પરંતુ બપોર બાદ વ્યવહાર પુર્વવત થઇ ગયો હતો. આજે તો પાટણ ઘટનાની બસ વ્યવહાર ઉપર કોઇ અસર નથી. રાજકોટથી ઉતર ગુજરાત તરફ તમામ બસો રાબેતા મુજબ દોડી રહી છે. ત્યાં જે તે શહેરની નજીક પહોંચ્યા બાદ જે તે ડીવીઝનલ અધિકારી દ્વારા નિર્ણય લેવાય છે.

 

તેમણે ઉમેર્યુ હતુ કે આવી રહેલ હોળી-ધુળેટીના પવિત્ર પ્રસંગ સંદર્ભે રાજકોટથી તા.ર૧ થી ર૮ સુધી દરરોજ ૧પ એકસ્ટ્રા બસો દોડાવાશેે, રાજકોટથી ગોધરા-દાહોદ-છોટા ઉદેપુર-સંતરામપુર તરફ તમામ બસો દોડશે. (૪.૧૦)

(12:02 pm IST)