Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રાજનીતિ કી પાઠશાલા દ્વારા શ્રેષ્ઠ પ્રતિભાઓને ડો.એ.પી.જે.અબ્દુલ કલામ એવોર્ડ એનાયત કરાયો

રાજનીતિ કી પાઠશાલા દ્વારા રોજ સમાજમા સોશિયલ એકિટવિટી કરનાર શ્રેષ્ઠ પ્રતિભાઓનું ડો.એ.પી.જે.અબ્દુલ કલામ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામા આવેલ, તેમજ છેલ્લા ૩ વર્ષથી આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેમજ સમાજના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભા દ્યરાવતા લોકોનું ડો.એ.પી.જે.અબ્દુલ કલામ મેમોરિયલ એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવી રહ્યું  જે અન્વયે આ વર્ષે અમરપ્રિત કૌર(આઇઆરએસ) ઇન્કમટેકસ,જોઈન્ટ કમિશનર તેમજ અશોક ધ્યાનચંદ (અર્જુન એવોર્ડ) (ભૂતપૂર્વ કેપટન-હોકી ટિમ ઇન્ડિયાના મેજર ધ્યાનચંદના સુપુત્ર) તેમજ અરજીતસિંગ (સામાજિક કાર્યકર્તા) ના  હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા.સંસ્થાના મુખ્ય ફાઉન્ડર અજય પાંડે અને રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ રાજપૂતના માર્ગદર્શન હેઠળ શુભ કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાજનીતિ કી પાઠશાલાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી તે બદલ પ્રતિભાઓએ આભાર માન્યો હતો તેવું રાજનીતિ કી પાઠશાલા ના પ્રવકતા વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(3:51 pm IST)