Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં સ્થાપિત કરાયેલા ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિનું પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનરના હસ્તે વિસર્જન

રાજકોટઃ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે દસ દિવસના ગણપતિજીનું સ્થાપન કરાયું હતું. આજે પોલીસ હેડક્વાર્ટર અંબાજી મંદિર ખાતે કૃત્રિમ કુંડમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના હસ્તે વિસર્જન કરવામાં આવ્યું હતું. માટી અને છાણમાંથી બનાવાયેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિના વિસર્જન બાદ એ પાણી ઝાડ છોડમાં ખાતર તરીકે આપવામાં આવ્યું હતું. વિસર્જન પહેલા બાપ્પાની આરતી કરવામાં આવી હતી. જેસીપી ખુરશીદ અહેમદ, એસીપી ક્રાઈમ ડી.વી.બસીયા, એસીપી હેડક્વાર્ટર જી.એસ. બારૈયા, પીઆઇ વી.કે. ગઢવી તથા અન્ય સ્ટાફ પણ સામેલ થયો હતો. અગલે બરસ તું જલ્દી આ...ના નાદ સાથે વિસર્જન કરાયું હતું.

(2:57 pm IST)