Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સી.આર.પાટીલના ૧ વર્ષના કાર્યકાળને વધાવવા ભાજપ દ્વારા કાલે વૃક્ષારોપણ

તમામ ૧૮ વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરી પ્રદેશ પ્રમુખને શુભેચ્છા પાઠવતા શહેર પ્રમુખ કમલેશ મીરાણી

રાજકોટ, તા., ૧૯: સામાન્ય કાર્યકર્તા તરીકે પોતાની કારકીર્દી શરૂ કરનાર અને વિવિધ સંગઠનલક્ષી કામગીરીઓ સફળતાપુર્વક નિભાવી ચુકેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે તા.ર૦-૭-ર૧ના રોજ પોતાના કાર્યકાળના ૧ વર્ષ પુર્ણ થવાના અવસરે શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ગુજરાત હંમેશા દેશને દિશા આપી છે. નવનિર્માણ આંદોલન, જે.પી. આંદોલનનું ગુજરાત હંમેશા સાક્ષી રહયું છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના રૂપમાં સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસના મંત્ર સાથે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજયના સર્વાગી વિકાસ દ્વારા આ વિકાસયાત્રાને આગળ વધારી રહયા છે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજીના પોતાના બહોળા રાજનૈતીક  અનુભવથી ગુજરાત ભાજપનું સંગઠન મજબુત બન્યું છે. રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે કાર્યકર્તાઓ સેવા હી સંગઠનના મંત્ર સાથે કામ કરી રહયા છે.

આથી વિચારધારાને સમર્પીત અને પક્ષ માટે પરીશ્રમી એવા સી.આર.પાટીલજીને પ્રદેશ અધ્યક્ષપદે ૧ વર્ષ પુર્ણ થવાના અવસરે શુભેચ્છાસહ અભિનંદન છે.

આવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલજીને ૧ વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડ માં આવતીકાલે તા. ર૦-૭ ના સવારે ૧૦:૩૦ કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં વોર્ડ નં. ૧ માં કુમાર છાત્રાલય, ચુનાના ભઠ્ઠા પાસે, વોર્ડ નં. રમાં ફળેશ્વર મહાદેવ મંદિર, પુનીતનગર બજરંગવાડી શેરી નં. ર, વોર્ડ નં. ૩માં શાળા નં. ૪૦, સીધી કોલોની શાકમાર્કેટ પાસે, વોર્ડ નં. ૪ માં વેલનાથ આંગણવાડી ખાતે, વોર્ડ નં. પ માં સર્વેશ્વર વિદ્યામંદિર, ૪૦ ફૂટ મેઇન રોડ, નવાગામ ખાતે, વોર્ડ  નં. ૬માં માંડા ડુંગર આરોગ્ય કેન્દ્ર પાસે, વોર્ડ નં. ૭માં રામનાથપરા ખાતે વોર્ડ નં. ૮માં ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમીન માર્ગ ખાતે, વોર્ડ નં. ૯માં રોઝરી સ્કુલની બાજુમાં ગાર્ડન, વોર્ડ નં. ૧૦માં સત્યસાઇ હોસ્પિટલ રોડ ખાતે, વોર્ડ નં. ૧૧ માં પંચશીલ એપાર્ટમેન્ટ, ઓમનગરના છેડે, વોર્ડ નં. ૧રમાં પ્રમુખનગર કોમન પ્લોટ ખાતે, વોર્ડ નં. ૧૩માં કૃષ્ણનગરનો બગીચો, સ્વામીનારાયણ ચોક પાસે, વોર્ડ નં. ૧૪માં ભકિતનગર સોસાયટી બગીચા ખાતે, વોર્ડ નં. ૧પમાં અમુલ સર્કલ, ભરતનગરવાળો રોડ, વોર્ડ નં. ૧૬માં મહેશ્વરી સોસાયટી ખાતે, વોર્ડ નં. ૧૭માં રાજલક્ષ્મી સોસાયટીનો વંડો, સોમનાથ વિદ્યાલય મહેશ્વરી સોસાયટી ખાતે, વોર્ડ નં. ૧૭માં રાજલક્ષ્મી સોસાયટીનો વંડો, સોમનાથ વિદ્યાલય પાસે, વોર્ડ નં. ૧૮માં બીલેશ્વર મહાદેવ મંદિર, ખોડલધામ રેસીડન્સી પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવશે.

(3:58 pm IST)