Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રૈયા રોડ શિવપરામાં એકલવાયા જીવનથી કંટાળી શહેનાઝબેન શેખનો આપઘાત

વૃધ્ધાએ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરીને આયખું ટુંકાવી લીધું

રાજકોટ તા. ૧૯: રૈયા રોડ પર બ્રહ્મસમાજ ચોક નજીક શિવપરા-૯માં રહેતાં શહેનાઝબેન રફિકભાઇ શેખ (ઉ.વ.૬૨)  નામના વૃધ્ધાએ સવારે ઘરે હતાં ત્યારે શરીરે કેરોસીન રેડી અગ્નિસ્નાન કરી લેતાં ઘટના સ્થળે જ મોત નિપજતાં માતમ છવાઇ ગયો હતો.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામના શિવભદ્રસિંહ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ શહેનાઝબેનના પતિનું પાંચેક વર્ષ પહેલા અવસાન થયું છે. તેમને સંતાન ન હોઇ એકલવાયુ જીવન જીવતાં હતાં. આ કારણે કંટાળીને તેમણે આ પગલુ ભર્યાનું હાલ બહાર આવ્યું છે.

(3:29 pm IST)