Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજકોટની નાઝીયાને જામનગરમાં પતિ, જેઠ અને નણંદે માર માર્યો

અગાઉ ફરિયાદ કરી હોઇ ખાર રાખી મારકુટ થયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૯: જામનગર ધરારનગરમાં મસ્જીદ પાસે સાસરૂ ધરાવતી અને રાજકોટ ભગવતીપરા જયપ્રકાશનગરમાં માવતર ધરાવતી નાઝીયા ઇરફાન જોખીયા (ઉ.વ.૧૮)ને જામનગરમાં પતિ ઇરફાન, જેઠ અકબરભાઇ અને નણંદ ઝરીનાબેને ઢીકાપાટુનો માર મારતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર પોલીસને જાણ કરી હતી. નાઝીયાના લગ્ન આઠ મહિના પહેલા જ થયા છે. તેણીના કહેવા મુજબ અગાઉ તેને પતિ સહિતે મારકુટ કરી કાઢી મુકી હોઇ પોતે માવતરે આવી હતી અને પોલીસમાં અરજી ફરિયાદ કરી હતી. ગઇકાલે પોતે જામનગર ગઇ ત્યારે પતિ સહિતે અરજી કરી હોઇ તેનો ખાર રાખી ફરીથી મારકુટ કરી હતી.

(11:03 am IST)