Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સ્પા બંધ ચાલુ રાખી કોરોનાના કાયદાનો ભંગ કરનારા ૪ દંડાયા

તાલુકા પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૮: કોરોના અંતર્ગતના જાહેરનામામાં સ્પા બંધ રાખવાનો આદેશ હોવા છતાં સ્પા ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કરનારા ચાર સંચાલકો વિરૂધ્ધતાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. જેના વિરૂધ્ધ કાર્યવાહી થઈ તેમા રમેશ વિસાભાઈ સોહલા (ઉ.વ-૩૪ ધંધો વેપાર રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર આગળ ન્યુ ઓસાના સ્પા બીગ બાજાર, પાછળ મારૂતિ ચોક પાસે), મહેશ બાબુભાઈ ચૌહાણ (રહે.અમરજીતનગર શેરી નં.૨, એરપોર્ટ રોડ, એનપી વેલનેસ સ્પા, બીગ બાજાર  મારૂતિ ચોક પાસે), હરેશ વશરામભાઇ પરમાર (ઉ.વ-૩૧, ધંધો-વેપાર રહે. નાગેશ્વર સુમીત્ય સાનીધ્ય બ્લોક ન-૫૦૧, ઝારા વેલનેસ સ્પા બીગ બાજાર પાછળ મારૂતિ ચોક પાસે) અને કૌશીક રમણીકભાઈ વાઘેલા (ઉ.વ.૩૮-ધંધો વેપાર રહે-શાસ્ત્રીનગર શેરી-૧૭ રામાપીર ચોકડી પાસે, ઓસાના ફેમીલી સ્પા બીગ બાજાર પાછળ મારૂતિ ચોક)નો સમાવેશ થાય છે.સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ ગેડમ, એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના અને પો.ઇન્સ. જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ રાજકોટ પીએસઆઇ એન.ડી.ડામોર , એએસઆઇ આર.બી.જાડેજા, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, હેડકોન્સ. મોહસીનભાઇ મલેક, કોન્સ.અમીનભાઇ ભલુર, ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજા, હરસુખભાઇ સબાડ તથા લાલજીભાઈ હાડગડાએ આ કાર્યવાહી કરી હતી.

(3:55 pm IST)