Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

'તાંડવ નર્તન' ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રાચીન - અર્વાચીન રાસ ગરબાની અદ્દભૂત પ્રસ્તુતી

રાજકોટ : નવરાત્રીના ત્રીજા નોરતે તાંડવ નર્તન એજયુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના જીજ્ઞેશભાઇ સુરાણી તથા નાના બહેન ક્રિષ્નાહેન સુરાણી દ્વારા અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે પ્રાચીન - અર્વાચીન ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શકિત સ્વરૂપા અતિથિ તરીકે ઉપસ્થિત રાજકોટના રાજરાણી કાદંબરી દેવીજીના હસ્તે દીપપ્રાગટયથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. આ તકે બ્રહ્માકુમારી અંજનાદીદી, સાંત્વન વિકાસ વિકલાંગ વિકાસ ટ્રસ્ટના સંચાલક રેખાબેન, નિલમબેન, સોશ્યલ વર્કર મયુરીબેન કોટેચા સાથે જોડાયા હતા. સંસ્થાની વિદ્યાર્થીનીઓએ ઘડા રાસ, કરતાલ રાસ, મહીસાસુર મર્દીની રાસ સહીત અનેક કૃતિઓ રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

(3:48 pm IST)