Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા અને મહામંત્રી હેમાંગ પીપળીયાએ ખોડલધામ મંદિરે શીશ ઝૂકાવ્યું

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી દ્વારા યુવા મોરચાના પ્રમુખ તરીકે કિશન ટીલવા (મો.૯૯૭૪૦ ૦૧૦૧૦) અને મહામંત્રી તરીકે હેમાંગ પીપળીયા (મો.૮૦૦૦૦ ૨૯૦૦૭)ની વરણી થતા આ બન્ને ખોડલધામ- કાગવડ અને ઉમિયાધામ- સિદસર માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરી માં ના આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો, વડીલોના આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે પ્રદેશ યુવા ભાજપના ઉપપ્રમુખ મનીષભાઈ સંઘાણી, એસ.પી.જી. સૌરાષ્ટ્રના તરવૈયા પ્રમુખ જસ્મીનભાઈ પીપળીયા, ખોડલધામના કન્વીનર વિઠ્ઠલભાઈ ઢાકેચા, સરદારધામ સૌરાષ્ટ્રના યુવા તેજસ્વીના કન્વીનર યતિનભાઈ રોકડ, સરદારધામના સૌરાષ્ટ્રના મહિલા કન્વીનર તેમજ શ્રી ઉમિયા મહિલા સમિતિ, રાજકોટના પ્રમુખ જયોતિબેન ટીલવા, શહેર ભાજપ સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ હાર્દિક બોરડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ  રેખાબેન સીણોજીયા, તેમજ નાગજી રાદડીયા, દેવ ગજેરા, ભરતભાઈ અમરેલીયા, રવિ સખીયા, આનંદ અમૃતિયા, યોગેશ ભુવા, કરણ સોરઠીયા, અંકિત દુધાત્રા, કશ્યપ મેંદપરા, ધ્રુવ કાલરીયા, નિલેશ પીપળીયા, પાર્થ કોરીંગા, મનીષાબેન માંકડીયા, રશ્મિબેન પટેલ, કાંતાબેન ફળદુ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ખોડલધામના ટ્રસ્ટીઓ નરેશભાઈ પટેલ, રતીભાઈ સાવલીયા, બકુલભાઈ સોરઠીયા, ભરતભાઈ બોદર તેમજ ઉમિયાધામના ટ્રસ્ટીઓ જેરામભાઈ વાસજાળીયા, ચીમનભાઈ સાપરીયા, શીવલાલભાઈ આદ્રોજા, મુળજીભાઈ ભીમાણી, પરષોતમભાઈ ફળદુ, જે.એમ.પનારા, જેન્તીભાઈ કાલરીયા, રમણીકભાઈ ભાલોડીયા, દિનેશભાઈ દેલવાડિયા, રસિકભાઈ ફળદુ, એન.ડી.વિરમગામા, સિદસર સંગઠન સમિતિના પ્રમુખ કૌશિકભાઈ રાબડીયા સહીતના સમાજના અગ્રણીઓના આર્શિવાદ ગ્રહણ કર્યા હતા.

(3:48 pm IST)