Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રાજકોટ ગુરૂકુળના સંતો દ્વારા ત્રંબામાં જળઝીલણી ઉત્સવ

રાજકોટ : ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે પ.પૂ. ગુરૂવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં જળઝીલણી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો. પ્રારંભમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો અભિષેક પ.પૂ. ગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂ. લક્ષ્મીનારાયણ સ્વામી, પૂ. સંતવલ્લભદાસ સ્વામી, પૂ. હરિપ્રિયદાસજી સ્વામી વગેરે સંતોએ કરેલ ત્યારબાદ નદીના નિર્મળ નિરમા હોળીમાં બેસીને ભગવાનને વિહાર કરાવવામાં આવેલ તથા ચાર આરતી કરેલ.

(3:36 pm IST)