Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

દર્દીને વારંવાર શરદી, ઉધરસ, તાવની તકલીફ રહેતી

સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલમાં ૬ વર્ષના બાળક ઉપર હૃદયનું કાણુ બંધ કરવાનું વિનામુલ્યે સફળ ઓપરેશન

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ દર્દી રાવત અરવિંદ લોખીલ

રાજકોટઃ 'દિલ વિધાઉટ બીલ'ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૧ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે દર્દીઓને ગરીબ હૃદયરોગના વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવાક્ષેત્રે અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે.. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૧ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ)આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આ સાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે . આવું જ એક દર્દી રાવત અરવિંદ લોખીલ ઉમર ૬ વર્ષ રહેવાસી રામાપીર ચોકડી, ધર્મરાજપાર્ક- ૩ રાજકોટનું વતની હદયની તકલીફના નિદાન માટે આવેલ હતું.

  દર્દીના કુટુંબમાં માતા, પિતા સહિત ૩ વ્યકિત છે. પિતાપાનની દુકાનમાં નોકરી કરે છે. જેમની માસિક આવક આશરે રૂા ૧૨૦૦૦ છે. પેશન્ટના રિપોર્ટ કર્યા બાદ માલુમ પડેલ હતું કે પેશન્ટને હદયની બીમારી જન્મથી જ છે. દર્દીના હદયમાં કાણું હતું. જેને હિસાબે વારંવાર શરદી, ઉધરસ, તાવની તકલીફ રહેતી હતી. દર્દીને દાખલ કરી તેના હ્નદયનું કાણું બંધ કરવાનું સફળતા પુર્વક વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવેલ હતું દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ તા.૧૬.૯.૨૦૨૧ ના રોજ રજા આપવામાં આવી હતી. ભગવાન બાબાની અસીમ કૃપાથીએક બાળકને નવજીવન પ્રાપ્ત થયું છે.

(3:36 pm IST)