Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સોમનાથ સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં ચેતનભાઇનો ફાંસો ખાઇ આપઘાત

યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી : કારણ અકળ

રાજકોટ,તા. ૧૮ : યુનિવર્સિટી રોડ પર આવેલ સોમનાથ સોસાયટી -૨માં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ સોમનાથ સોસાયટી-૨ માં આવેલા નિર્મળા એપાર્ટમેન્ટ ના ચોથા માળે રહેતા ચેતનભાઇ સુરેશભાઇ માલકીયા (ઉવ.૩૯)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોએ ચેતનભાઇને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા ચેતનભાઇનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. વિજેન્દ્રસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

 

(3:46 pm IST)