Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જાથા દ્વારા ડો. સારાભાઇને પુષ્‍પાંજલી

આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે ખ્‍યાતનામ વૈજ્ઞાનિક ડો. વિક્રમભાઇ સારાભાઇની ૧૦૩ મી જન્‍મ જયંતિ નિમિતે વિજ્ઞાન જાથા દ્વારા પુષ્‍પાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ વિજ્ઞાન અભિગમ વિષે છણાવટ કરી હતી. અનિલ જ્ઞાન મંદિરના આચાર્ય છાયાબેન દવેએ ડો. વિક્રમભાઇ સારાભાઇની યશોગાથા વર્ણવેલ. આ કાર્યક્રમમાં ધવલભાઇ પટેલ, બંસરીબેન રાવલ, શિતલબેન ડાંગર, વિજયભાઇ જોબનપુત્રા, અશોકભાઇ વાઘેલા, વિનોદભાઇ ભટ્ટ, કેતનભાઇ મકવાણા, અંકલેશ ગોહિલ, વિનુભાઇ ઉપાધ્‍યાય, રોમિત રાજદેવ ઉપસ્‍થિત રહેલ. વકૃત્‍વમાં ક્રિષ્‍ના ઝીંઝુવાડીયા, રિધ્‍ધ્‍ી બાબરીયા, જયોતિ ઉપાધ્‍યાય, કશીશ ગોહેલ, ચાર્વી વૈશ્‍નાણી, વૈભવી ચુડાસમા, યશ્‍વી પાણખાણીયાએ ભાગ લીધો હતો.

(3:41 pm IST)