Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વિહીપ - બજરંગદળ દ્વારા કાલે રઘુવંશી ક્રાંતિ યાત્રાનું લોધાવાડ ચોકમાં સ્‍વાગત

રાજકોટ તા. ૧૮ : કાલે રઘુવંશી યુવા શક્‍તિ સંઘ દ્વારા રેસકોર્ષ મેદાનથી પ્રારંભ કરવામાં આવનાર ‘રઘુવંશી ક્રાંતિ યાત્રા'નું વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા બપોરે ૧૨.૨૫ કલાકે લોધાવાડ ચોકમાં સ્‍વાગત કરાશે.

હિન્‍દુત્‍વ પ્રત્‍યે શક્‍તિ પ્રદર્શનની આ યાત્રામાં હિન્‍દુ યુવાઓનો ઉત્‍સાહ વધારવા વિશ્વ હિન્‍દુ પરીષદ અને બજરંગદળના મહાનગરના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહેશે તેમ વિહીપની યાદીમાં જણાવાયુ છે

(4:40 pm IST)