Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અતુલિત ફાઉન્‍ડેશન દ્વારા

કાલે મવડીમાં નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પઃ દવાઓ પણ અપાશે

રાજકોટઃ આવતીકાલે  તા ૧૯ ના રવિવારે સવારે ૯.૩૦થી ૧ સુધી અતુલિત ફાઉન્‍ડેશન દ્વારા મવડી ખાતે ઇન્‍દ્રપ્રસ્‍થ હોલની પાછળ, કાઠિયાવાડી મેવાડા સુતાર જ્ઞાતિની વાડીમાં સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન કરેલ છે.  
આ પ્રસંગે વાહનવ્‍યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી, મેયર ડો. પ્રદીપભાઇ ડવ. ધારા સભ્‍ય ગોવિંદભાઇ પટેલ, ધારા સભ્‍ય લાખાભાઇ સાગઠીયા ઉપસ્‍થિત રહેશે.  જેમાં ડો.જયદીપ ઓધવાણી, ડો.દીપરાજ રૈયાણી ડો.હિરેન વિસાણી, ડો.દેવેન સંચાણીયા, ડો. ચિરાગ પરસાણા ડો. કરણ વાઘેલા, ડો. રાજવી જાવિયા, ડો. હાર્દિક પનારા, ડો. પ્રતીક ગઢીયા સેવા આપશે ફુલ બોડી ચેકઅપ લોહી પેશાબના રિપોર્ટ રાહત દર કરી આપશે. જરૂરીયાત મંદોએ કેમ્‍પનો લાભ લેવા મનિષભાઇ આ યજ્ઞ પાર્થભાઇ સિદપરા અને મનિષભાઇ ઠુમંર દ્વારા અનુરોધ કરાયો છે.

 

(4:20 pm IST)