Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

બહારગામ જવાનુ કહી નિકળ્‍યા બાદ કરણપરાનો આશિષ ગાંધી ગુમ

 

રાજકોટ, તા. ૧૮ :  શહેરના કરણપરામાં રહેતો યુવાન બહારગામ જવાનું કહી ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા એ-ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે. મળતી વિગત મુજબ કરણપરા શેરી નં. ર૬ માં રહેતો આશિષ મનહરલાલ ગાંધી (ઉ.વ.૩૮) ગત તા. ૧ર/પ ના રોજ બહારગામ થવાનું કહી ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના મોટાભાઇ ઉદયભાઇ ગાંધીએ એ-ડીવીઝન પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા એ.એસ.આઇ. ભરતસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે. આશિષની જમણી આંખ નીચે જુનુ વાગેલાનું નિશાન છે જો કોઇને આ યુવાન જોવા મળે તો એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦ર૮૧-રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:54 pm IST)