Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ખોખડદળથી ત્રણ દિ' પહેલા ગૂમ થયેલા અશોકની લાપાસરીના કૂવામાંથી લાશ મળી

 

 રાજકોટ તા. ૧૮: ખોખડદળ ગામમાં રહેતો અશોક વશરામભાઇ સાગઠીયા (ઉ.૩૭) ૧૫/૬ના રોજ સાંજે ઘરેથી નીકળ્‍યા બાદ ગૂમ થયા બાદ તેની લાપાસરી ગામના કૂવામાંથી લાશ મળતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

અશોક બે ભાઇ અને બે બહેનમાં બીજો હતો. તેને સંતાનમાં ત્રણ પુત્રી છે. પત્‍નિ જ્‍યોત્‍સના બે વર્ષથી તેને છોડી માવતરે જતી રહી છે. અશોકની માનસિક હાલત બરાબર ન હોઇ તે અવાર નવાર ઘરેથી નીકળી જતો હતો અને પોતાની મેળે પરત આવી જતો હતો. આ વખતે ઘરેની નીકળ્‍યા બાદ પરત ન આવતાં ગૂમ થયાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

દરમિયાન લાપાસરીના કૂવામાંથી આજે એક લાશ મળતાં તપાસ કરતાં તે અશોકની હોવાનું ખુલતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:52 pm IST)